• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • સુપ્રીમ કોર્ટે કહ્યું, "નિર્દોષ પુરુષ પર દુષ્કર્મનો ખોટો આરોપ, મહિલા પર દુષ્કર્મ કર્યા જેટલો ખતરનાક છે"

સુપ્રીમ કોર્ટે કહ્યું, "નિર્દોષ પુરુષ પર દુષ્કર્મનો ખોટો આરોપ, મહિલા પર દુષ્કર્મ કર્યા જેટલો ખતરનાક છે"

12:38 PM August 11, 2023 admin Share on WhatsApp



અવારનવાર નિર્દોશ લોકો પર હનિટ્રેપ(Honeytrap)ના નામે અથવા કોઈ લોભ લાલચને લઈને ખોટા રેપના કેસ(False Rape Case) થતા હોય છે. જેના પર સુપ્રીમ કોર્ટે(Supreme Court) મહત્‍વની ટિપ્‍પણી કરતા કહ્યું કે, પુરુષ પર બળાત્‍કારનો ખોટો આરોપ સ્ત્રી પર બળાત્‍કાર જેટલો જ ભયાનક અને પીડાદાયક છે. નિર્દોષોને ખોટા કેસમાં ફસાવવાથી બચાવવા જોઈએ. કોર્ટે કહ્યું કે આવા મામલામાં કોર્ટની ફરજ છે કે તે દરેક પાસાને ધ્‍યાનથી અને બારીકાઈથી તપાસે.

જસ્‍ટિસ બી. આર. ગવઈ અને જસ્‍ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે એક મામલાની સુનાવણી કરતી વખતે અવલોકન કર્યું હતું કે જયારે કોઈ આરોપી આ આધાર પર એફઆઈઆર રદ્દ કરવા માટે કોર્ટનો સંપર્ક કરે છે ત્‍યારે આવી કાર્યવાહી સ્‍પષ્ટ રીતે પરેશાની પેદા કરે છે અને આવા સંજોગોમાં કોર્ટ એફઆઈઆર ધ્‍યાનથી જુએ.


આ પણ વાંચો : ગર્લફ્રેન્ડ સાથે હોટેલમાં જવું છે? આ 5 નિયમો યાદ રાખો કાનુની કાર્યવાહીથી બચી જશો...


ખંડપીઠે કહ્યું, એ વાતને અવગણી શકાય નહીં કે બળાત્‍કાર પીડિતાને અસહ્ય વેદના અને અપમાન સહન કરવું પડે છે, પરંતુ તે જ સમયે બળાત્‍કારનો ખોટો આરોપ આરોપી માટે સમાન વેદના, અપમાન અને નુકસાનનું કારણ બની શકે છે. બળાત્‍કારના ખોટા કેસમાં ફસાવવાથી વ્‍યક્‍તિને બચાવવાની જરૂર છે.

કોર્ટે કહ્યું કે ફરિયાદીએ સુનિશ્ચિત કરવું પડશે કે ફરિયાદમાં આપેલા નિવેદનો એવા હોય કે કથિત ગુનાનો કેસ નક્કર બની શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટની ફરજ છે કે તે કેસના રેકોર્ડમાંથી જે દેખાય છે તે સિવાયના સંજોગો પર ધ્‍યાન આપે અને સમગ્ર કેસને યોગ્‍ય રીતે તપાસે અને તથ્‍યોને સમજવાનો કાળજીપૂર્વક પ્રયાસ કરે.

ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના મિર્ઝાપુર પોલીસ સ્‍ટેશનમાં એક આરોપી વિરુદ્ધ નોંધાયેલી બળાત્‍કાર અને ગુનાહિત ધમકીની એફઆઈઆર રદ કરતી વખતે કોર્ટે આ ટિપ્‍પણી કરી હતી. અગાઉ, આરોપીએ અલાહાબાદ હાઈકોર્ટમાં તેની વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરને રદ કરવા માટે અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી.


 

 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - National News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us